પોરબંદરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો સમયગાળો દશમી નવેમ્બર સુધી લંબાવાયો છે. પોરબંદર જિલ્લાના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ 2024-25 માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવેલ છે.
પોરબંદર જિલ્લાના ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ત્રીસમી ઓકટોબર સુધી ખેડૂતોની નોંધણી કરવા જણાવ્યું હતું, જે આગામી દશમી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે, ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવે છે.
પોરબંદર જિલ્લાના તમામ ખેડુત ભાઈઓએ લાભ લેવા અનુરોધ છે. વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ બાદથી અગિયાર નવેમ્બરથી આઠમી ફેબ્રુઆરી 2025 સુધી નક્કી કરવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 3, 2024 9:29 એ એમ (AM)
પોરબંદરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો સમયગાળો દશમી નવેમ્બર સુધી લંબાવાયો
