પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે.
આ તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરના પુનઃનિર્માણ, તટીય વિકાસ, વાહન રાખવા માટેની જગ્યાના પરિસરનો વિકાસ સહિતના વિકાસકાર્ય હાથ ધરાશે.
યાત્રાધામના પ્રથમ તબક્કામાં 48 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, પ્રવેશ માર્ગ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશદ્વાર અને તટીય વિકાસના કાર્ય પૂર્ણ કરાયા હોવાનું ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
Site Admin | નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે.