પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં આ મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, અને સોમનાથ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. સત્તાવાર યાદી મુજબ, આજે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 400 કલાકારો વિવિધ લોકનૃત્ય રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તર-પૂર્વના અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝૉરમ, મેઘાલય, સિક્કીમ, નાગાલૅન્ડ અને ત્રિપુરા એમ આઠ રાજ્ય ભાગ લેશે. મેળાનો ઉદ્દેશ દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે
Site Admin | એપ્રિલ 2, 2025 4:09 પી એમ(PM)
પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે.
