પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ છે. 15 કિલોની એક રાશન કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, એક કિલો ખાંડ, એક કિલો તુવેરદાળ, એક કિલો ચણા, એક કિલો મીઠું અને એક લીટર તેલનો સમાવેશ થાય છે. રાશન કીટ રવાના કરતાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ કે રાજ્ય સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની પડખે છે. તેમણે ઉમેર્યું કે સરકાર અને તંત્રએ પૂરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી છે. તંત્ર દ્વારા 228 લોકોને બચાવાયા તથા 6 હજાર 867 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 5:07 પી એમ(PM)
પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ.
