દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સત્તાવાર યાદી મુજબ, સવારે છ વાગ્યે મંગળા આરતી, સવારે છ-થી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે આઠ-થી નવ વાગ્યા સુધી શ્રીજીને ખૂલ્લા પડદે સ્નાન કરાવાશે. ત્યારબાદ બપોરે એક-થી પાંચ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. ને સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન થઈ શકશે. ઉપરાંત સાંજે પાંચ-થી સાડા નવ વાગ્યા સુધી જળયાત્રા ઉત્સવ ઉજવાશે અને રાત્રે સાડા નવ વાગ્યે દર્શન બંધ થશે.
Site Admin | જૂન 10, 2025 3:04 પી એમ(PM)
પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ દ્વારકા મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો
