ફેબ્રુવારી 20, 2025 10:45 એ એમ (AM)

printer

પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે.

પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે.
આ પહેલને અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સરકારે હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ બ્રેઈન-ડેડ કેસ વિશે તાત્કાલિક જિલ્લા કલેક્ટરો અને પ્રાદેશિક વહીવટકર્તાઓને જાણ કરે. નવી માર્ગદર્શિકા અનુસાર, જિલ્લા કલેક્ટર અને પ્રાદેશિક વહીવટકર્તા અંગ દાતાઓના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને તેમનું સન્માન કરશે. આ ઉપરાંત, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ જેવા પ્રસંગોએ, ઉપરાજ્યપાલ અથવા મુખ્યમંત્રી અંગ દાતાઓના પરિવારોને સત્તાવાર કાર્યક્રમોમાં આમંત્રિત કરશે અને તેમનું જાહેરમાં સન્માન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.