પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમનના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પીએમ જનમન હેઠળ રાજયમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12 હજાર 489 આવાસો મંજૂર કરાયા છે. આ ઉપરાંત ખાસ નબળા આદિવાસી જૂથોના 5 હજાર 200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે જ્યારે 37 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2 હજાર 803 ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરીને ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ છે.
Site Admin | જુલાઇ 28, 2025 7:15 પી એમ(PM)
પીએમ જનમન યોજનાનાં અમલીકરણમાં જુલાઈ માસ માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે.