પાવાગઢમાં ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પૂરોહિત જણાવે છે, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી નીજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા તૈયાર કરાયેલા ઉડનખટોલાના તાર તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ. તેના કારણે 2 લિફ્ટ સંચાલક, 2 શ્રમિક અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાવાગઢ મંદિર પરિસરમાં કેટલાક સમયથી નવીનીકરણ અને બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ દુર્ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસમથક, ગોધરા અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ટૅક્નિકલ ટુકડી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 7:24 પી એમ(PM)
પાવાગઢમાં ઉડનખટોલાના તાર તૂટી જતાં છ લોકોના મોત.