પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર આજે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોનાં મોતના અહેવાલ છે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે માતાના મઢથી હિંમતનગર તરફ જતી એસટી બસ અને રીક્ષા વચ્ચે આ ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Site Admin | એપ્રિલ 17, 2025 6:50 પી એમ(PM)
પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર અકસ્માતમાં 6 લોકોનાં મોત