ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 17, 2024 8:19 એ એમ (AM) | પાટણ

printer

પાટણના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ લોકોને ખાદ્ય સલામતી અંગેની મહત્વની માહિતી આપી.

પાટણના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ લોકોને ખાદ્ય સલામતી અંગેની મહત્વની બાબતોની માહિતી આપી હતી.
વિજ્ઞાન કેન્દ્રના પ્રૉજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષે 60 કરોડ જેટલા લોકો દૂષિત ખોરાકથી બીમાર પડે છે, જેના કારણે ચાર લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા, ખોરાકની સલામતીમાં સુધારો લાવવો અને બીમારીઓને ઘટાડવા જાગૃતિ સાથે ખોરાકનું સંચાલન કરવાનું જણાવ્યું હતું.