પાટણ જિલ્લાના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં હવે અમદાવાદ, વડોદરા, સુરતથી સીધી શંખેશ્વરની નવી બસો દોડશે. અંદાજે બે કરોડ ૫૭ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં શ્રી સંઘવીએ કહ્યું હતુંકે શંખેશ્વરનું આ બસ સ્ટેન્ડ હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત એસ ટી વિભાગના અધિકારી – કર્મચારીઓ, ગામના સરપંચ તેમજ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | એપ્રિલ 8, 2025 3:37 પી એમ(PM)
પાટણના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું લોકાપર્ણ
