પાકિસ્તાનના મદદગાર તુર્કીયે અને અઝરબૈઝાન સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારો વેપાર સંબંધો સ્થગિત કરવાની વિચારણા કરી રહ્યાં છે. બંને દેશો સાથે સિરામિક ઉદ્યોગનો વાર્ષિક 100 કરોડનો વેપાર થાય છે પરંતુ આ વેપારને દેશહિત માટે જતો કરવાનો વિચાર કરવામા આવ્યો હોવાનું સિરામિક ઉદ્યોગના વોલ ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયાએ આપી હતી.
આ ઉપરાંત બંને દેશો સાથેના પ્રવાસન કાર્યક્રમ પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.. આ ઉપરાંત વેપારીઓ પણ તેમનો આ બંને દેશોનો પ્રવાસ રદ કરશે
Site Admin | મે 19, 2025 9:51 એ એમ (AM)
પાકિસ્તાનના મદદગાર તૂર્કીયે અને અઝરબૈઝાન સાથે વેપારી સંબંધો સ્થગિત કરવાની મોરબીના સિરામિક ઉદ્યોગકારોની વિચારણા
