પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. ક્વેટા સ્ટેશનથી પેશાવર જવા માટે ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી – BLA આઆત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. BLA એ કહ્યું કે તેનો લક્ષ પાકિસ્તાની સેનાની એક ટુકડીને નિશાન બનાવવાનો હતો, જે ક્વેટાથી તાલીમ પૂરી કરીને પરત ફરી રહી હતી. પોલીસનું કહેવું છે કે મૃતકોમાં 14 સૈનિકો પણ સામેલ છે.
Site Admin | નવેમ્બર 10, 2024 9:01 એ એમ (AM) | પાકિસ્તાનના બલૂચિસ્તાન
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત
