પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રેલીઓ, રોડ શો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક ચૂંટણી રેલીમાં આમ આદમી પાર્ટી પર યમુના નદી વિશે જુઠ્ઠાણું ફેલાવવાનો અને દિલ્હીના રહેવાસીઓને ખોટા વચનો આપવાનો આરોપ લગાવ્યો.
દરમિયાન, કોંગ્રેસે મફત આરોગ્ય વીમો આપવાનું વચન આપતો પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે જાહેર રેલીને સંબોધિત કરી, જ્યારે પંજાબના મુખ્યમંત્રી
ભગવંત માને ત્રણ મેગા રોડ શો કર્યા.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:37 એ એમ (AM)
પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે
