એપ્રિલ 23, 2025 7:31 પી એમ(PM)

printer

પહેલગામ આતંકી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલી અપાઈ

રાજ્યભરમાં અનેક સ્થળોએ પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ.
છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો હોદ્દેદારો અને કર્મચારીઓ સહિતના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમજ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ભાવનગર, બોટાદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા હુમલાનો વિરોધ કરાયો.