એપ્રિલ 27, 2025 1:51 પી એમ(PM)

printer

પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા માટે આવતીકાલે એક દિવસનું જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું

જમ્મુ અને કાશ્મીરના મંત્રીમંડળની વિનંતી પર, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે.
આ હુમલામાં એક સ્થાનિક અને 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઘટના સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કર્યા પછી, આ ઘટનાની સખત નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવશે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની કેબિનેટે 23 એપ્રિલે ઉપરાજ્યપાલને પહેલગામ આતંકવાદી હુમલા બાદ 28 એપ્રિલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની ભલામણ કરી હતી.