જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે રાજ્યના કેટલીક જગ્યાએ બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, આતંકી હુમલાના વિરોધમાં લુણાવાડા સજ્જડ બંધ રહ્યું છે. લુણાવાડાના દરકોલી દરવાજા, આસ્થાના બજાર, માંડવી બજારના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે.
મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માગ સાથે યુવાનોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે, બોડેલીના વેપારીઓએ વેપાર-ધંધા બંધ રાખીને આતંકી હુમલાનો વિરોધ દર્શાવ્યો. વેપારીઓએ બોડેલી, અલિપુરા અને ઢોકલિયાના બજારો બંધ રાખી બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
Site Admin | એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)
પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો
