પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકો મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ ‘તરાવીહ’ અદા કરવામાં આવી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી રમઝાન મહિનાની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ રમઝાનથી સમાજમાં શાન્તિ અને સદભાવ વધે તેવી પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ રમઝાનના આ પાવન મહિનાને શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક ગણાવતા કહ્યું, રમઝાન દેશવાસીઓએ કરૂણા, દયા અને સેવાના મૂલ્યોને યાદ અપાવે છે.
જ્યારે બાંગ્લાદેશમાં રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો છે. આ પાવન પર્વ દરમિયાન તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી કચેરીઓમાં નવો સમય લાગુ થઈ ગયો છે.
Site Admin | માર્ચ 2, 2025 3:41 પી એમ(PM)
પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો