ચોટીલા પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી બેરાએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નાણાપંચ, અમૃત ૨.૦, નલ સે જલ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ કામો અને શરૂ કરવામાં ન આવેલા કામોની સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની ચીફ ઓફિસર પાસેથી જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 16, 2024 4:15 પી એમ(PM)
પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ
