પરમેશ શિવમણિએ આજે ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
શ્રી શિવમણિ દિશાસૂચકતા અને દિશા નિર્દેશનમાં નિષ્ણાત છે, અને તેમના દરિયાઈ કમાન્ડમાં ભારતીય તટરક્ષકના તમામ મુખ્ય જહાજોનો સમાવેશ થાય છે. તેઓ નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કૉલેજ અને વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેમની ઉમદા સેવા બદલ તેમને વર્ષ 2014માં તટરક્ષક ચંદ્રક અને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ તટરક્ષક ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2012માં ડાયરેક્ટર જનરલ કોસ્ટ ગાર્ડનું સન્માન પણ આપવામાં આવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:42 પી એમ(PM)
પરમેશ શિવમણિએ આજે ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો
