નવેમ્બર 27, 2024 11:16 એ એમ (AM)

printer

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા ત્રણ મોટા મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ સોંપવાનો નિર્ણય કર્યા પછી એજન્સીએ ત્રણ કેસ ફરીથી નોંધ્યા. ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આ મહિનાની 13મી તારીખે કેસની ફરીથી નોંધણી કરવામાં આવી હતી. એજન્સીની ટીમોએ આ મહિનાની 21 અને 22 તારીખે સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ શરૂ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.