સપ્ટેમ્બર 11, 2025 8:56 એ એમ (AM)

printer

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન અને અથડામણો બાદ ઉત્તરાખંડ-બિહારમાં ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી

નેપાળના આરોગ્ય મંત્રાલયે હિંસક વિરોધ પ્રદર્શનોમાં 30 લોકોના મોત અને એક હજારથી વધુ ઘાયલ થયાની જાણ કરી છે. મંત્રાલયના પ્રવક્તા ડૉ. વિકાસ દેવકોટાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને દેશભરની 29 હોસ્પિટલોમાં 1,611 લોકોની સારવાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મંત્રાલયે વિવિધ હોસ્પિટલોનો સંપર્ક કર્યા બાદ પ્રાપ્ત વિગતો પ્રકાશિત કરી છે. 274 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
તેવી જ રીતે, 56 લોકોને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને 719 લોકો સારવાર બાદ ઘરે પરત ફર્યા છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.