નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝુ રાણા દેઉબા આજથી પાંચ દિવસની ભારત યાત્રા પર

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝુ રાણા દેઉબા આજથી પાંચ દિવસની ભારત યાત્રા પર આવશે.
ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરનાં આમંત્રણ પર ભારત આવનાર નેપાળનાં વિદેશ મંત્રી અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેનાં દ્રિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. નોંધનીય છે કે, નેપાળ ભારતની પાડોશી પ્રથમ નીતિમાં ભાગીદાર દેશ છે.