નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે અંદાજપત્ર કૃષિ, ગ્રામીણ સમૃદ્ધિ, શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારાઓ પર ભાર મૂકે છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, નાણામંત્રીએ કહ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારત તરફના માર્ગને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે છ સ્પષ્ટ સુધારાઓ ઓળખવામાં આવ્યા છે જેમાં સરકાર તેનો સુધારાત્મક એજન્ડા ચાલુ રાખશે.
નાણાંમંત્રીએ જણાવ્યું કે, નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 8:09 પી એમ(PM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર કૃષિ અને ગ્રામીણસમૃદ્ધિ તથા શહેરીવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
