નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર દોઢ ટકા વધશે. ગઈકાલે ચેન્નાઈમાં એક સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે, આનાથી દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં પણ 4.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. શ્રીમતી સીતારમણે કહ્યું કે, એકસાથે ચૂંટણી કરાવવાથી 12 હજાર કરોડ રૂપિયાની બચત થશે અને મતદાનની ટકાવારી પણ વધશે. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2029 પછી જ એકસાથે ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરશે.
Site Admin | એપ્રિલ 6, 2025 9:27 એ એમ (AM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર દોઢ ટકા વધશે