ઓક્ટોબર 22, 2024 3:25 પી એમ(PM)

printer

નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા જોવા મળે તેવી શક્યતા :RBIના ગવર્નર શક્તિકાંત દાસ

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભારતની વિકાસ યાત્રા અકબંધ છે કારણકે તેના મૂળભૂત પરિબળો – વપરાશ અને રોકાણની માંગ – વેગ પકડી રહયા છે. RBIના માસિક બુલેટિનમાં, શ્રી દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7.2 ટકા જોવા મળે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે સુધારેલ કૃષિ દૃષ્ટિકોણ અને ગ્રામીણ માંગને પગલે ખાનગી વપરાશની સંભાવનાઓ ઉજ્જવળ દેખાય છે. RBIના એક અહેવાલ અનુસાર, 2024-25 માટે ગ્રાહક ભાવ સૂચક આંકનો ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.