ડિસેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

printer

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અધિકારીઓને એરલાઇન કામગીરી અને મુસાફરોની સેવાઓનું નિરીક્ષણ કરવા વિમાનીમથકની મુલાકાત લેવા જણાવ્યું.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના વરિષ્ઠ અધિકારીઓને એરલાઇન કામગીરી અને મુસાફરોની સેવાઓનું નિરીક્ષણ કરવા માટે વિમાનીમથકની મુલાકાત લેવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, મંત્રાલયે કહ્યું કે મુસાફરો પાસેથી પ્રતિસાદ લઈને કોઈપણ ખામીઓ અને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ.
દરમિયાન તાજેતરમાં ફ્લાઇટ વિક્ષેપો અને રદ થવાને કારણે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગોને તમામ ક્ષેત્રોમાં તેની ફ્લાઇટ્સ પાંચ ટકા ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે