સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

printer

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચારધામ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન અને વ્યૂહાત્મક પહેલના અમલીકરણ પછી મંજૂરી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે અનેક સમીક્ષા બેઠકો યોજી હતી જેથી ડિરેક્ટોરેટ જનરલ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સુનિશ્ચિત થાય.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે તમામ હેલિપેડ, હેલિકોપ્ટર, ઓપરેટર તૈયારીઓ અને અન્ય સુવિધાઓનું વ્યાપક નિરીક્ષણ કર્યા પછી હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. સલામતી સુનિશ્ચિત કરવા માટે ડિરેક્ટોરેટ જનરલ ચારધામ હેલિકોપ્ટર સેવાઓનું સતત નિરીક્ષણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.