ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 7:14 પી એમ(PM)

printer

નાગરિકોને પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોએ પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સ્થળ મુલાકાતમાં લોકોની રજૂઆતો અને ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણની સાથે અધિકારીઓ અને કર્મચારીઓના વ્યવહાર વર્તનની પ્રતિક્રિયા મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ.