ફેબ્રુવારી 26, 2025 7:05 પી એમ(PM)

printer

નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા  ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે

નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા  ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ડેરીમાંથી સત્તર લાખ પચાસ હજારની કિંમતનું ચાર હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું હતું. આ દરોડા દરમિયાન ઘીના અગિયાર નમૂના લેવાયા હતા જે ખાદ્ય સલામતીના નિયમો અનુસાર ન જણાતા આ ડેરી સામે કાર્યવાહી કરવામં આવી હોવાની માહિતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ આપી હતી.બનાસકાંઠાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે આ ડેરીમાં તપાસ કરવામાં આવતાં લાયસન્સ રદ કરાયું હોવા છતા પણ ઘી બનાવીને રાજસ્થાન મોકલવાનુ હતું. પરંતુ આ ડેરી દ્વારા ભેળસેળયુક્ત ઘી રાજસ્થાન પહોંચે તે પહેલાં જ તેને જપ્ત કરી દેવાયું હતું. આ વેપારી પર ખાદ્યતેલ અને મરચાંમાં કલર ભેળવવાના કેસમાં સજા અને દંડ પણ કરવામા આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.