નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે.
આ યોજના હેઠળ રૂફટોપ સોલાર એનર્જી ટેક્નોલોજી, બિઝનેસ મોડલ અને એકીકૃત ટેકનોલોજી નવીન યોજનાને પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ નવા વિચારોને આગળ ધપાવવામાં સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ઉદ્યોગોને સમર્થન આપવાનો છે. જેમાં રૂફટોપ સોલર એનર્જીને ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ સાથે જોડવા જેવી ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રીય સૌર ઉર્જા સંસ્થા આ નવીન પ્રોજેક્ટના અમલીકરણ એજન્સી તરીકે કામ કરશે. પસંદ કરાયેલી યોજનાના ખર્ચના 60 ટકા અથવા 30 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી-સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેનો હેતુ રૂફટોપ સોલાર ઉર્જા ક્ષમતા વધારવા અને રહેણાંક ઘરોને તેમની પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સશક્તિકરણ કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 8:37 એ એમ (AM) | વીજળી યોજના
નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે.
