સપ્ટેમ્બર 19, 2025 3:13 પી એમ(PM)

printer

નવા કર દરો સોમવારથી લાગુ થશે.

કર માળખાને સરળ બનાવવા અને નાગરિકો પર નાણાકીય બોજ હળવો કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરી. નવા કર દરો સોમવારથી લાગુ થશે. નાની કાર પરનો GST ઘટાડીને 18 ટકા કરાતા મધ્યમ વર્ગના પરિવારો માટે કાર વધુ સસ્તી બનશે અને ઓટો સેક્ટરને પ્રોત્સાહન મળશે તેમ એક કાર ડીલર કંપનીના CEO હિરેન સાંચલાએ જણાવ્યુ.