ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 30, 2025 2:06 પી એમ(PM)

printer

નવરાત્રીના આઠમા દિવસે, દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે

નવરાત્રીના આઠમા દિવસે, દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દુર્ગા પૂજા નિમિત્તે ભારત અને વિદેશમાં રહેતા નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર દેશની સંસ્કૃતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. તેમણે નોંધ્યું કે નવ સ્વરૂપોમાં મા દુર્ગાની પૂજા કરવી એ માત્ર આધ્યાત્મિક શુદ્ધિકરણનો માર્ગ નથી પણ દરેકને સત્ય, ન્યાય અને કરુણા સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કામના કરી હતી કે આ પવિત્ર પ્રસંગ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્ય લાવે. આ દરમિયાન શ્રી શાહે મા દુર્ગાને બધાના કલ્યાણ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી.