નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું. શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી પ્રારંભાયેલી આ દોડને ધારાસભ્ય ડો. દેશમુખે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, જલ એ જ જીવન છે. પશુ-પક્ષી સહિત માનવજીવન માટે પાણી અમૃત સમાન છે. આવનારા સમયમાં જલસંકટની સ્થિતિ સર્જાય તે પહેલા જલસંચય અંગે લોકોમાં જાગૃતતા લાવવાના ઉમદા આશય સાથે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાયો છે.આ દોડમાં વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ વિભાગના વિવિધ શાખાના જવાનો, યુવાનો, મહિલા-બાળકો સહિત 5૦૦ થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.
Site Admin | નવેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)
નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું
