ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 9, 2025 7:50 પી એમ(PM)

printer

નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને એક મહિનો વહેલા એટલે કે 15 મે-થી સિંચાઈનું પાણી અપાશે

રાજ્ય સરકાર દ્વારા આ વખતે નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને એક મહિનો વહેલું પાણી અપાશે. કપાસ અને અન્ય ખરીફ પાકનું વાવેતર કરતા ખેડૂતોને જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આગામી 15-મી મે-થી આપવાનો નિર્ણય કરાયો છે, જેનાથી 13 લાખથી વધુ ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ થશે.
સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ મોસમ માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. જોકે, ખેડૂતોને વહેલું પાણી મળે તો ખેડૂતો આગોતરું આયોજન કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ