નમામિ દેવી નર્મદેઃ ના નાદ સાથે નર્મદા જિલ્લામાં આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. 14 કિલોમીટરની આ પરિક્રમા એક મહિના સુધી ચાલશે. આ વખતે પરિક્રમા માર્ગ અને તમામ ઘાટ પર ત્રણ કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે અનેક સુવિધા કરવામાં આવી છે.વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં માં લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે. તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે. એક માત્ર નર્મદા નદી જ એવી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે. આગામી 27 એપ્રિલ સુધી યોજાનારી આ પરિક્રમાના માર્ગમાં આવતા શહેરાવ, રેંગણ, રામપુરા અને તિલકવાડા ઘાટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી આશા છે.
Site Admin | માર્ચ 29, 2025 9:55 એ એમ (AM)
નમામિ દેવી નર્મદેઃ ના નાદ સાથે આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ
