ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે બોટાદના રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી 100 વર્ષ પૂર્વે રાણપુરમાં મહાત્મા ગાંધીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્મા ગાંધી સાથેની સૌપ્રથમ મુલાકાત અહીં થઈ હતી.આ ઐતિહસિક ઘટનાની શતાબ્દી નિમિત્તે ગાંધી સ્મૃતિ સ્મારકમાં ઐતિહાસિક લીમડાની જતનપૂર્વક જાળવણી ઉપરાંત મહાત્મા ગાંધી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અર્ધ-પ્રતિમાઓ, કલાત્મક તકતી, ચિત્ર પ્રદર્શન તથા કલમ અને કિતાબ સાહિત્ય-કોર્નરની સ્થાપના કરવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણી અને અમૃતલાલ શેઠના પરિવારજનોની ઉપસ્થિતિમાં ગાંધી સ્મૃતિ સ્મારકના લોકાર્પણ બાદ પદયાત્રા અને સ્મરણાંજલિ સભા યોજાઇ હતી.
Site Admin | એપ્રિલ 7, 2025 10:09 એ એમ (AM)
ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે બોટાદના રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું
