ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.
જલ શક્તિ અભિયાન સાથે આ પહેલ સંલગ્ન છે. વરસાદના એકેએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે. નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીને વરસાદી પાણીના સંગ્રહને અભિયાન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.. આ કાર્યક્રમ હેઠળ, સમગ્ર ગુજરાતમાં અંદાજે 24 હજાર 800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ ભૂગર્ભ જળ સંચય લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે