ફેબ્રુવારી 7, 2025 9:14 એ એમ (AM)

printer

દેશભરમાં ટીબી રોગ નાબુદ કરવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે

દેશભરમાં ટીબી રોગ નાબુદ કરવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ૪૫૦૦ જેટલા ટીબીના દર્દીઓ છે, ત્યારે આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં ૨૫૦ ટીબીના દર્દીઓ છે.
અંબાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.વાય કે મકવાણા દ્વારા દાંતા તાલુકા વિસ્તારના ટીબીના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. 35 જેટલા ટીબી દર્દીને પોષણક્ષમ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જો વધુ જરૂરિયાત જણાશે તો તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.