મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરાયેલા આ ત્રિ-દિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41 લાખ 50 હજાર રૂપિયાના ઇનામો એનાયત કરાશે.રાજ્યમાં રમત ગમતનું ક્ષેત્ર સતત વિકસે અને તિરંદાજી સહિતની રમતોમાં રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક્સ-2036માં ભાગ લઈ શકે તેવી પણ તેમણે નેમ વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ અંબાજી ખાતેથી ૨૫ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને સૌ નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
Site Admin | એપ્રિલ 9, 2025 9:43 એ એમ (AM)
દેશભરના 28 રાજ્યોના ભાગ લઇ રહેલા પાંચસો પચાસ કરતા વધુ મહિલા તિરંદાજોની રાષ્ટ્રીય તિરંદાજી સ્પર્ધાનો શક્તિપીઠ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો
