ડિસેમ્બર 23, 2024 7:13 પી એમ(PM)

printer

દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિછે. આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટ ખાતે પૂર્વપ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે શ્રી ધનખડે જણાવ્યુંહતું કે ચૌધરી ચરણસિંહે ખેડૂતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિઆપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અમારું સૌભાગ્ય છે કે અમને ચૌધરી સાહેબને ભારતરત્નથી સન્માનિત કરવાની તક મળી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.