દૂરદર્શન આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વર્ષ 1959 માં આજના દિવસે દૂરદર્શન સ્થાપના થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ દિવસે પ્રથમ પ્રસારણનું ઉદ્ઘાટન કર્યું હતું. 1975 સુધી, દૂરદર્શન આકાશવાણીનો ભાગ હતું. પાછળથી 1 એપ્રિલ 1976 ના રોજ તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક અલગ વિભાગ તરીકે ઉભરી આવ્યું. આજે, દૂરદર્શન ભારતની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે જેમાં સ્ટુડિયો અને ટ્રાન્સમીટરનું વિશાળ નેટવર્ક છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 11:57 એ એમ (AM)
દૂરદર્શને આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કર્યા
