ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાના પીડિતોની ઓળખ માટેના ચાલી રહેલા પ્રયાસો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે નવ વાગ્યા સુધીમાં 19 D.N.A. નમૂનાઓ મેચ થયા છે, સોશિયલ મીડિયા પોસ્ટમાં, ગુજરાતના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) યુનિટ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ટીમ વધુ DNA નમૂનાઓ મેચ કરવા માટે રાતભર કામ કરી રહી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે ગુરુવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ગુજરાતના અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં ડોકટરોની છાત્રાલયમાં થયેલા દુ:ખદ અકસ્માતમાં “મૃતકોના પરિવારો અને બચી ગયેલા લોકોને” 25 લાખ રૂપિયાનું વચગાળાનું નાણાકીય સહાય પેકેજ આપવામાં આવશે.
Site Admin | જૂન 15, 2025 10:01 એ એમ (AM)
દુર્ઘટનામાં મેડિકલ હોસ્ટેલમાં મૃત્યુ પામનારા તબીબોના પરિજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની એર ઇન્ડિયાની જાહેરાત
