ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 20, 2025 9:53 એ એમ (AM)

printer

દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર જિલ્લાના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા

પ્રકાશના પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર જિલ્લાના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. દિવડાઓની અદભૂત રોશનીથી મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ દીપોત્સવ 26 ઓક્ટોબર સુધી ચાલશે. દ્વારકા જિલ્લામાં પણ દ્વારકાધીશ જગતમંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમનાથ, અંબાજી સહિત રાજયભરના દરેક તીર્થધામોને રંગબેરંગી રોશનીથી શણગારાયા છે.