આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે. આ વર્ષની થીમ છે ‘ધ ફ્યુચર ઑફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ’ એટલે કે, ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં સંગ્રહાલયનું ભવિષ્ય. રાજ્યમાં છેલ્લા અઢી દાયકામાં ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ સંગ્રહાલયોનું નિર્માણ કરાયું છે.વડનગર ખાતે નવનિર્મિત પુરાતત્વીય અનુભવાત્મક સંગ્રહાલય 13 હજાર 525 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 7 હજારથી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરે છે. ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપ દરમિયાન કચ્છમાં જીવ ગુમાવનારા નાગરિકોની સ્મૃતિમાં બનાવાયું છે. તો ગાંધીનગરની દાંડી કુટિર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક અને અત્યાધુનિક મ્યુઝિયમ છે. આ ઉપરાંત માંડવીના શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલમાં દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે.
Site Admin | મે 18, 2025 9:18 એ એમ (AM)
દિવ્ય અને ભવ્ય ભૂતકાળને પ્રતિબિંબિત કરતા વિશ્વ સંગ્રહાલય દિવસની આજે ઉજવણી
