દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. .રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩ કરોડ ૬૮ લાખની જનસંખ્યાને આ લાભ આપવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થયુ છે. તેમજ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
રાજ્યના ૬૬ લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની ૩કરોડ ૩૨ લાખની જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં અને ૩ કિલોચોખા મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં અને ૧૫ કિલો ચોખા મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ સમાવિષ્ટ તમામ ૭૪ લાખ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ.૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે વિતરણ કરવામાં આવે છે
Site Admin | નવેમ્બર 1, 2024 8:08 એ એમ (AM) | રેશન કાર્ડધારક
દિવાળીમાં રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારકોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરાયું.
