ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 14, 2025 9:45 એ એમ (AM)

printer

દિવંગત વિજય રૂપાણીનો પુત્ર વિદેશની વહેલી સવારે અમદાવાદ પહોંચ્યો. આજે રાજકોટમાં શાળા અને વેપાર ધંધા બંધ રાખીને સ્વર્ગસ્થ રૂપાણીને રાજકોટ શોકાંજલી અર્પશે

અમદાવાદમાં સર્જાયેલી વિમાનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. ત્યારે વિદેશ સ્થિત તેમના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા હતા ગઇકાલે તેમના પત્ની અંજલી રૂપાણી અને તેમના દીકરી અમદાવાદ પહોંચ્યા બાદ આજે વહેલી સવારે તેમનો પુત્ર ઋષભ પણ અમેરિકાથી અમદાવાદ પહોંચ્યો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પી હતી.. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સંગઠનમાં લાંબા સમય સુધી કામ કર્યું. પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને મજબુત બનાવવું હોય કે પછી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની વિકાસયાત્રાને ગતિશીલ રાખવામાં વિજયભાઈએ દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી. વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી. સ્વભાવે શાંત અને વિચારશીલ રૂપાણીની સંગઠન પ્રત્યેની વફાદારી અને અનુશાસનપૂર્ણ અભિગમ અદ્ભુત હતો. થોડા દિવસો પહેલા જ તેમની સાથે મુલાકાત થઈ હતી અને પંજાબમાં સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ. તેમનાં ધર્મપત્ની અંજલિબેન રૂપાણી સાથે વાત કરીને ઊંડી સંવેદના વ્યક્ત કરી. દુખની આ ઘડીમાં સમગ્ર ભાજપા પરિવાર તેમની સાથે છે. ભગવાન તેમના ચરણોમાં દિવંગત આત્માને સ્થાન આપે.દિવગંત વિજય રૂપાણીના નિધન અંગે શોક વ્યક્ત કરવા આજે રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તમામ 600 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.. જ્યારે મંડળ દ્વારા શહેરની સરકારી અને અનુદાનિત શાળાઓ માં પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે રાજકોટમાં વેપાર રોજગાર પણ બંધ રાખીને વિમાની દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ દિગવંત વિજય રૂપાણીને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ