દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આજે અગાઉની આમ આદમી પાર્ટી પર ૧૩૦૦ કરોડ રૂપિયાના વર્ગખંડ કૌભાંડનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિરસાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર તેમના કાર્યકાળ દરમિયાન દિલ્હીના શિક્ષણ ભંડોળને લૂંટવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે AAP સરકારે એક ક્લાસરૂમનો ખર્ચ વધારીને પ્રતિ રૂમ 25 લાખ રૂપિયા કર્યો છે, જે ફાઇવ સ્ટાર હોટલના રૂમના ખર્ચ કરતા વધુ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામે આ કૌભાંડમાં ફરિયાદ નોંધવાની મંજૂરી આપી છે.
Site Admin | માર્ચ 14, 2025 7:55 પી એમ(PM)
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આજે અગાઉની આમ આદમી પાર્ટી પર ૧૩૦૦ કરોડ રૂપિયાના વર્ગખંડ કૌભાંડનો આરોપ લગાવ્યો
