રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર લોકોના મોત થયા છે અને 16 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની છે. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાની માહિતી મળી રહી છે.
Site Admin | જાન્યુઆરી 21, 2026 10:15 એ એમ (AM)
દર્શન માટે ગયેલા અરવલ્લીના યાત્રાળુઓની બસને રાજસ્થાનમાં અકસ્માત થતાં ચારના મોત