ડિસેમ્બર 23, 2025 9:52 એ એમ (AM)

printer

દરિયાઇ સીમામાંથી પાકિસ્તાન મરિને ઝડપેલા ગીર સોમનાથના માછીમારોને મુક્ત કરાવવા સરકાર સમક્ષ રજૂઆત

અરબી સમુદ્રમાં માછીમારી કરતાં ભારતીય માછામારોને પાકિસ્તાન મરિન દ્વારા પકડી લેવાય છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના આવા 197 માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. કોવિડના સમયગાળા દરમિયાન પાકિસ્તાન દ્વારા પકડાયેલા આવા માછીમારોને મુક્ત કરવા રાજપરા બંદરના સરપંચ ભરત કામલીયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.